Frequently Asked Questions
શું તમને પણ સારવાર ને લગતા પ્રશ્નો છે? અમે પૂરો પ્રયત્ન કરીશું આપના પ્રશ્નો ના સમાનધાન આપવાનો.
અમારા વિશે સંક્ષિપ્ત જાણકારી
ડો.હેતલ લીંબાણી પેઈન એન્ડ સ્પાઈન (મણકા અને દુખાવા) ના નિષ્ણાંત છે. તેમણે MBBS MDDA FIPM (જર્મની) ની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
પ્રશ્નો અને માર્ગદર્શન:
FAQ's
સારવાર ને લગતા તમારા પ્રશ્નો નું માર્ગદર્શન અને સમાધાન અમારા નિષ્ણાંત ડોક્ટર દ્વારા.
ઈન્ટરવેન્શન પધ્ધતિ થી થતી સારવાર કેટલી સફળ છે?
દર્દીની કોઈપણ સારવાર દર્દી અને તેમના રિપોર્ટને એકસાથે જોયા પછી નક્કી કરવામાં આવે છે. અમારે ત્યાં કરવામાં આવતી તમામ ઈન્ટરવેન્શન પ્રક્રિયાઓના સફળતાની ટકાવારી 70-80% કરતા વધુ છે અને તેનાથી ઓપરેશન ટાળી શકાય છે.
આ આધુનિક સારવાર માં કેટલી વાર ક્લીનીક ની મુલાકાત લેવી પડે છે?
ફક્ત સાંધાના દુખાવામાં જ 1 મહિના સુધી નો સમય લાગે છે, એ સિવાય કરોડરજ્જુની સારવાર અથવા અન્ય સારવાર માં મોટે ભાગે 1 બેઠક પૂરતી છે.
શું તમામ દર્દ શામક સારવાર વીમા કવરેજ માં આવે છે?
હા, કરોડરજ્જુને લગતી મોટાભાગની પ્રક્રિયા / સારવાર વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.
શું સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે?
સામાન્યરીતે સાંધાના દુખાવા સંબંધિત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. પરંતુ કરોડરજ્જુ ના દુખાવા સંબંધિત સારવાર માટે 2 થી 6 કલાકનું નિરીક્ષણ જરૂરી છે.
શું આ ઈન્ટરવેન્શન સારવાર પધ્ધતિ ની કોઈ આડ અસર છે?
નહિવત. આ આધુનિક સારવાર ની કોઈ આડઅસર નથી કારણ કે સારવાર ની તમામ પ્રક્રિયાઓ ફક્ત લોકલ એનેસ્થેસિયા આપ્યા પછી જ કરવામાં આવે છે.
દર્દીઓને દુખાવામાં કેટલા સમય સુધી રાહત મળે છે?
મોટા ભાગના દર્દીઓને દુખાવા માં કાયમી રાહત મળે છે પરંતુ જો ફરીથી દુખાવો થાય તો અમે સારવારનું પુનરાવર્તન કરી શકીએ છીએ.
શું સારવાર માટે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે?
અમે ગોઠણ કે પછી અન્ય સાંધામાં સ્ટીરોઈડનું ઇન્જેક્શન આપતા નથી. પરંતુ કરોડરજ્જુની પ્રક્રિયામાં કેટલીકવાર અમે દર્દીને જાણ કર્યા પછી જ બરાબર દુખાવાની જગ્યાએ (શરીર ના અન્ય અંગો પર કોઈ જાતની આડઅસર વિના) સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરીએ છીએ.
શું ઈન્ટરવેન્શન પધ્ધતિ થી થતી સારવાર ની પ્રક્રિયાઓ પીડાદાયક છે?
ત્વચાને એનેસ્થેટાઈઝ કરતી વખતે માત્ર સોયનો થોડો દુખાવો થાય છે જે થોડા કલાકોમાં જ જતો રહે છે.
